Reality of Gujarat Education System (gujarati)

This is for one district
But it can be multiplied by gujarat's total districts......

પ્રતિ,
કલેક્ટર સાહેબશ્રી,
જિલ્લા સેવા સદન,
લાલપુર રોડ, ખંભાળિયા,
જી. દેવભુમી દ્વારકા

વિષય : "ગુણોત્સવ" નું નામ "બારદાન(ગુણ) ઉત્સવ" રાખવા બાબત

માનનિય સાહેબ શ્રી,
         જય ભારત સાથ જણાવવાનું કે છેલ્લા 20 - 25 વર્ષોમાં ગુજરાતમાં ગુણવત્તા સભર મુલ્યનિષ્ઠ શિક્ષણની જગ્યાએ માત્ર ને માત્ર શિક્ષણ આપવા પૂરતું શિક્ષણ અપાઈ રહ્યું છે સરકાર પોતાની ફરજ પૂરી કરી રહી હોવાનો માત્ર ઢોંગ કરી રહી છે વાસ્તવિકતા એ છે કે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણની અધોગતિ થઈ છે જેના કારણે એન્જિનિયરિંગ, ટેકનોલોજી જેવા ઉચ્ચ અભ્યાસ ક્રમોમાં ડ્રોપ આઉટ રેસીઓ ઉંચો ગયો છે ગુજરાતમાં એન્જીનીયરીંગ, ટેકનિકાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં 55% કરતા વધારે વિદ્યાર્થીઓને એટીકેટી આવે છે જેના કારણે આવા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે અને આવું ત્યારે જ બને કે જ્યારે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનો પાયો નબળો હોય દિવસે દિવસે શિક્ષક  વિધ્યાર્થીઓથી દુર અને અન્ય સરકારી કામોની વધારે નજીક જઈ રહ્યો છે શાળામાં સમય આપવાને બદલે સરકારી કામોમાં સમય વધારે આપે છે જેના કારણે વિધ્યાર્થીઓ "વિદ્યાથી" દુર થઇ રહ્યા છે ને પરિણામ એ આવ્યું કે મુલ્યનિષ્ઠ શિક્ષણમાં ગુજરાત આખા ભારતમાં 1995-96 માં 3જા ક્રમે હતું ત્યાંથી ફેંકાઈ ને 7માં ક્રમે પછી 13માં ક્રમે પછી 17માં ક્રમે ને અત્યારે 21માં ક્રમે પહોંચ્યું છે ને આપણે, સરકાર, મંત્રીઓ, સચિવો, આઇ એ એસ અધિકારીઓ, શિક્ષણવિદો બધા સાથે મળી માત્ર સરકારમાં બેઠેલા આલાકમાંનોને ખુશ કરવા સાચી અને વાસ્તવિક વાત કરવાને બદલે ખોટે ખોટી વાહ વાહી કરી રહ્યા છીએ વાસ્તવિકતા એ છે કે  વિદ્યાર્થીને બારદાન જેવો કરી મુક્યો છે પ્રાથમિક શાળામાં અમે હતા ત્યારે વાંરવાર એક મુહવારો સાંભળતાં હતા કે "બુદ્ધિનું બરદાન" એનો અર્થ અત્યારની સરકાર, મંત્રીઓ અને તેના ઈશારે પૂંછડી પટપટાવતા કર્મચારીઓ, અધિકારીઓ અને શિક્ષણવિદોને જોઈને સમજાય છે  અને આ "ગુણ(બરદાન) ઉત્સવોનું" નાટક જોયા પછી એવું લાગે છે કે આ સરકાર માં જ બધા બારદાન બેઠા છે ત્યારે ગુણવત્તા સભર મૂલ્યનિષ્ઠ શિક્ષણ ની અપેક્ષા રાખવી નકામી છે
       સાહેબ આપણે આપણા જ જિલ્લાની વાત કરીએ તો.....
--> જિલ્લામાં 34 સરકારી હાઈસ્કૂલ છે પણ એક જ કાયમી પ્રિન્સીપાલ છે બાકી  બધી જ કાયમી પ્રિન્સીપાલ વગર ચાલે છે 34 શાળા વચ્ચે ચાર કે પાંચ ક્લાર્ક છે ને આવી જ હાલત શિક્ષકોની સંખ્યામાં પણ  છે
--->> મૉડેલ સ્કુલ કે જેને વર્તમાન દેશના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પોતાનો "ડ્રિમ પ્રોજેક્ટ" ગણાવ્યો હતો એ જ મોડેલ સ્કૂલની આપણા જિલ્લાની હાલત જોઈએ તો જિલ્લામાં કલ્યાણપુર, વીંજલપર અને દ્વારકા એમ ત્રણ મોડેલ સ્કૂલ છે તે ત્રણેય મોડેલ સ્કૂલનો મહેકમ 30નો છે પણ તેની સામે ખરેખર 30 માંથી માત્ર 5 નો જ સ્ટાફ ઉપલબ્ધ છે જો દેશના વડાપ્રધાન સાહેબના ડ્રીંમ પ્રોજેક્ટની આ હાલત હોય તો બાકીના શિક્ષણ અને સંસ્થાઓ વિશે તો વિચારવાનું જ શું ? ? ? ?
--->> જિલ્લામાં પ્રાથમીક શાળાઓમાં 25 શાળા વચ્ચે એક કેળવણી નિરીક્ષક કે બીટ નિરીક્ષક હોવો જોઈએ જે મુજબ આપણાં જિલ્લામાં  25 કરતા પણ વધારે કેળવણી નિરીક્ષક હોવા જોઇએ પણ બધી જ જગ્યાઓ ખાલી છે ઍટલે કે ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક થી કામ ચલાવવામાં આવે છે
--->> જિલ્લામાં  ચાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓમાંથી 1 જ છે 3 તાલુકામાં આ જગ્યા ખાલી છે
--->> જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 600 કરતાં વધારે શીખકોની ઘટ છે 500 કરતા વધારે ઓરડાઓની ઘટ છે
--->> UPA  સરકારના શાસનમાં જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય તો મંજુર થઈ ગઈ પણ સરકારની આનાકાની અને મનમાંનીના કારણે તેમની જમીન મંજૂરીની ફાઇલ એક મંત્રાલય થી બીજા મંત્રાલય વચ્ચે ટલે ચડેલી છે  જવાહર નવોદય વિદ્યાલય પણ ભાડાના મકાનમાં બેસે છે
--->> જિલ્લામાં 4 સરકારી કોલેજો છે જે આર્ટ્સ ને કોમર્સ કોલેજ છે જિલ્લામાં એક પણ સાયન્સ કોલેજ નથી એટલે એન્જીનીયરીંગ કોલેજના તો સપના જ જોવાના રહ્યા
--->> જે ચાર સરકારી કોલેજ છે તેમાં 42 નો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ મહેકમ છે તેની સામે માત્ર 6 જ નો સ્ટાફ છે આ છ એ છ પ્રોફેસર છે એટલે નોન ટીચિંગ સ્ટાફ શુન્ય છે
--->> ચાર કોલેજમાંથી કલ્યાણપુર અને ભાણવડ કોલેજ પાસે પોતાની ઈમારત છે પણ ખંભાળિયા અને ઓખા કોલેજને પોતાના મકાન નથી ભાડાના મકાન કે ઉછીના લીધેલા મકાનમાં કોલેજો બેસે છે
--->> ચારમાંથી એકપણ કોલેજમાં કાયમી પ્રિન્સીપાલ નથી ચારે ચાર કોલેજ પ્રિન્સીપાલ વગર કે ચાર્જ વાળા પ્રિન્સિપાલ થી ચાલે છે એટલે કે રામ ભરોસે કોલેજ ચાલે છે
--->> ચાર કોલેજ વચ્ચે માત્ર 6 જ પ્રોફેસર છે
--->> ચાર કોલેજમાંથી એક પણ કોલેજમાં એક પણ કાયમી કલાર્ક નથી, ગ્રંથપાલ નથી, પટાવાળા નથી, અને ખાસ એકપણ શારીરીક શિક્ષણનો પ્રોફેસર નથી તો આમ કેવી રીતે ભણે ગુજરાત.... ? ?  કેવી રીતે રમે ગુજરાત...?? કેવી રીતે વાંચે ગુજરાત....? ? ?
--->> ખંભાળિયા કોલેજ જિવિજે હાઈસ્કૂલમાં બેસે છે ત્યાં કોલેજને 6 રૂમ આપવામાં આવ્યા છે આ જ 6 રૂમમાં પ્રિન્સીપાલ ઓફિસ, ક્લાર્ક ઓફિસે, લાઈબ્રેરી, સ્ટાફ રૂમ અને વિદ્યાર્થીઓના વર્ગખંડ નો સમાવેશ કરી વિદ્યાર્થીઓએ ભણવાનું છે તે ઉપરાંત આ મકાનમાં 3 રૂમ EVM  ને ફાળવવામાં આવ્યા છે એક રૂમ EVM ની ચોકીદારી કરતા સિક્યુરિટી સ્ટાફને ફાળવવામાં આવ્યો છે ને એક રૂમ માં જિલ્લા રમત ગમત અધિકારી બેસે છે
--->> ચાર કોલેજ વચ્ચે જે 6 પ્રોફેસર છે એમણે વિદ્યાર્થીઓને ભણાવવાના તો છે તે ઉપરાંત પટાવાળા, ક્લાર્કનું કામ પણ તેમણે જ કરવાનું છે પરીક્ષાના ફોર્મ, એડમિશન ફોર્મ અને તેની પ્રક્રિયા પણ આ 6 પ્રોફેસર દ્વારા જ કરવાની છે તે ઉપરાંત ચૂંટણીની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, સરકારના ઉત્સવો, મહોત્સવો તથા તાયફોઓમાં ફરજીયાત હાજરી અને કામગીરી પણ કરવાની હોય છે તો આમા કેવી રીતે વિદ્યાર્થીઓ ભણે ? ? ?
       સાહેબ દેવભૂમિ દ્વારકા જિલ્લો માત્ર ઉદાહરણ છે બાકી આખા ગુજરાત ના શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે ને બધા જ ચૂપ છે. ચૂપ છે એટલુંજ નહિ ઉલટાની સરકારની આ વિદ્યાર્થી વિરોધી, શિક્ષણ વિરોધી નીતિઓનો તાયફઓ કરી ઉત્સવો કરી પ્રચાર પ્રસાર કરી વાહ વાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુણોત્સવના માહોલ વચ્ચે વાસ્તવિકતાનું ભાન કરાવવા અને આપનું તથા શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ બેઠેલા લોકો તથા સરકારશ્રીનું ધ્યાન દોરવા અમો આ "બારદાન" આપના માધ્યમથી સરકારશ્રી સુધી પહોંચાડી નમ્ર અનુરોધ કરીયે છીએ કે *વિદ્યાર્થીને બારદાન બનાવવાનું બંધ કરો, શિક્ષકને ક્લાર્ક બનાવવાનું બંધ કરો, ને માં સરસ્વતીના મંદિર, વિદ્યાના ધામને વેપારના હાટળાઓ બનાવવાનું બંધ કરો* એવી વિનંતી

Comments

Popular Posts